Skip to main content

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના Shri Vajpayee Bankable Yojana

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના


શ્રી વાજપાઈ બેંકેબલ યોજના

કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના



હેતુ:- 

આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.


યોજનાની પાત્રતા:-

૧. ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ

૨. શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ  

     અથવા

       તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.

૩. આવક મર્યાદા નથી.


બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:-

(૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(ર) સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(૩) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(૪) ધિરાણની રકમ ઉપર સહાયના દર: આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.


વિસ્તારજનરલ કેટેગરી અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
ગ્રામ્ય ૨૫% ૪૦%
શહેરી ૨૦% ૩૦%


સહાયની મહત્તમ મર્યાદા:-

ક્રમ ક્ષેત્ર સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં)

૧ ઉદ્યોગ ₹.૧,૨૫,૦૦૦

૨ સેવા ₹.૧,૦૦,૦૦૦

૩ વેપાર જનરલ કેટેગરી શહેરી ₹.૬૦,૦૦૦

ગ્રામ્ય ₹.૭૫,૦૦૦

રીઝર્વ કેટેગરી શહેરી/ ગ્રામ્ય ₹.૮૦,૦૦૦

નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.૧,૨૫,૦૦૦/- રહેશે.                              


વધુ માહિતી માટે આપની નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવો.

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેનું અરજી ફોર્મ:- Click Here

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેની માર્ગદર્શક પ્રોજેકટ પ્રોફાઇલ્સ: Click Here

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:૧૪-૮-૨૦૧૫: Click Here

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:૧૧-૧૧-૨૦૧૬: Click Here

સબસિડી ફોર્મ: Click Here

Popular posts from this blog

Prime Minister’s Employment Generation Programme (PMEGP) વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP)

વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) Prime Minister’s Employment Generation Programme (PMEGP) ભા૨ત સ૨કારે તા.૩૧-૦૩-૨૦૦૮ સુધી અમલમાં હતી તેવી બે યોજનાઓ, એટલે કે વડાપ્રધાનની રોજગા૨ યોજના (PMRY) અને ગ્રામીણ રોજગા૨ નિર્માણ કાર્યક્રમ (REGP) ને ભેગી કરીને વડાપ્રધાનના રોજગા૨ નિર્માણ કાર્યક્રમ(PMEGP) નામનો  એક નવો ધિરાણ સંલગ્ન સહાયકી કાર્યક્રમ મંજૂ૨ કરી તેનો અમલ શરૂ કર્યો છે. જેથી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સૂક્ષ્મ ઉદ્યોગો સ્થાપીને રોજગા૨ની તકો ઊભી કરી શકાય. PMEGP એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે અને તેનું સંચાલન લઘુ, નાના અને મઘ્યમ કદના ઉદ્યોગોનું મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટ૨પ્રાઈસીઝ (MOMSME) દ્વારા ક૨વામાં આવશે. આ યોજનાનો અમલ લઘુ, નાના અને મઘ્યમ કદના ઉદ્યોગોના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કામ ક૨તા વૈધાનિક સંગઠન ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC) દ્વારા ક૨વામાં આવશે અને આ સંગઠન રાષ્ટ્રીય સ્તરે એકજ નોડલ એજન્સી તરીકે કામ ક૨શે. રાજય સ્તરે આ યોજના રાજય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડઝ (KVIBs) ખાદી અને ગ્રામોદ્યોગ વિકા...

Manav Kalyan Yojana (માનવ કલ્યાણ યોજના ) Gujarat Sarakar

માનવ કલ્યાણ યોજના  માનવ કલ્યાણ યોજના આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટેની અગાઉની સ્‍વરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે. પાત્રતાઃ- ૧      ઊંમર: ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ ૨      આવક મર્યાદા: ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. આ લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ...

Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme Gujarat Government (દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના)

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના   દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્‍યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટેની યોજના. હેતુ :-   ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્‍તકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાકીય મૂડીની જરૂરિયાત પડતી હોય છે. આ નાણાંકીય જરૂરીયાત માટે કારીગરોએ નાણાકીય સંસ્‍થાઓ /ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્‍યાજદર ઉંચો હોવાથી વર્તમાન સમયમાં કુટિર ઉદ્યોગના કારીગરોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્‍યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારશ્રીના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્‍તકના ઈન્‍ડેક્ષ્ટ-સીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્‍યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટે આ યોજનાઅમલમાં લાવવામાં આવેલ છે. યોજનાની પાત્રતા :- ઉંમરઃ ૧૮ વર્ષ થી વધુ. કારીગર  વિકાસ કમિશનર હેન્ડલુમ/ વિકાસ કમિશનર હેન્ડીક્રાફ્ટ / ઈન્ડેક્ષ્ટ- સી  દ્વારા અપાયેલ આર્ટીઝન તરીકે નું ...